Saturday, July 10, 2010

એનું કાઈ નહિ !

ઉંવા ઉંવા અજવાળું, કિલ્લોલ ને ખમ્મા,ખમ્મા,
દોર-વા રોજ કૂપળ ઉંચકાય, એનું કાઈ નહિ !
બાંધકામમાં ક્યાંક નડતર તો ઉખાડો મુળિયા,
નીતનવા માથે માળા બંધાય, એનું કાઈ નહિ !
ધર્મપરિવર્તન તો ધમપછાડા પાછી થાય હોહા,
આ ડાળી ખુરશીમાં બદલાય, એનું કાઈ નહિ !
માણસ મરે તો ઓળખાણની આંખો ભીંજાય,
લીલાછમ્મ રામકૃષ્ણ કપાય, એનું કાઈ નહિ !
એકાદને દીવા ધરાય, બાપડી આખી વસ્તી ખુશ ,
બે બચે, બીજા બાર વધેરાય, એનું કાઈ નહિ !
વિપુલ પરમાર 'હાસ્ય'

1 comment:

  1. માણસ મરે તો ઓળખાણની આંખો ભીંજાય,
    લીલાછમ્મ રામકૃષ્ણ કપાય, એનું કાઈ નહિ !
    i read these poem. its nice. I think you should write more poems.

    ReplyDelete